ખરતા વિચારો (Floating Thoughts)

ખરતા વિચારો (Floating Thoughts)

પાનખર જેવી રીતે માનવીના જીવનમાં પણ, તેના જીવનરૂપ ચિત્રપટ પર વિચારો આવી ખરી જતા હોય છે.
આજના પળમાં સામેલ થયેલા એ વિચારોને હું અહિયાં અંકિત કરી રહી છું અને જીવનની યાદોમાં સામેલ કરી રહી છું.

વિચાર જીવનને રંગે છે. અને આ રંગોનું વર્ણન કરીએ તો સુખ અને દુઃખ — બંને જીવનની અનેક પરિસ્થિતિઓ અથવા ગમતી–ન ગમતી વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય છે.
સારા અનુભવો મનને હરખાવે છે અને ન ગમતા પ્રસંગો મનને અજાણતા ઠેસ પહોંચાડે છે.

સતત એકસરખા અનુભવોનો અહેસાસ થયા પછી પણ માનવી એ જ ધારા માં વહેતો રહે છે. અને જો પ્રભાવ વધારે વધી જાય તો ક્યારેક પોતાનો માર્ગ અને રંગ બદલી લે છે.

હાસ્યની વાત એ છે કે આ જગતમાં દરેક માનવી લગભગ એકસરખા પ્રસંગોનો અનુભવ કરે છે. એ જ માહોલમાં એકબીજાને જોઈ જીવનમાં આગળ વધે છે, છતાંય ત્યાં સુધી સાચી સમજણ આવતી નથી જ્યાં સુધી માણસ પોતે એ ભાવને અનુભવતો નથી.

આ માનવીના વિચારો જ છે જે તેને ઉડવા માટે પાંખો આપે છે અથવા ક્યારેક થંભી જવા માટે રોકી લે છે.

“વિચારોને જોવો, પણ તેમાં ખોવાઈ ન જવું.”

તમે વિચારોને કેવી રીતે સંભાળો છો? મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.

 

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

2 Responses »

Leave a Reply