પાનખર જેવી રીતે માનવીના જીવનમાં પણ, તેના જીવનરૂપ ચિત્રપટ પર વિચારો આવી ખરી જતા હોય છે.
આજના પળમાં સામેલ થયેલા એ વિચારોને હું અહિયાં અંકિત કરી રહી છું અને જીવનની યાદોમાં સામેલ કરી રહી છું.
વિચાર જીવનને રંગે છે. અને આ રંગોનું વર્ણન કરીએ તો સુખ અને દુઃખ — બંને જીવનની અનેક પરિસ્થિતિઓ અથવા ગમતી–ન ગમતી વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય છે.
સારા અનુભવો મનને હરખાવે છે અને ન ગમતા પ્રસંગો મનને અજાણતા ઠેસ પહોંચાડે છે.
સતત એકસરખા અનુભવોનો અહેસાસ થયા પછી પણ માનવી એ જ ધારા માં વહેતો રહે છે. અને જો પ્રભાવ વધારે વધી જાય તો ક્યારેક પોતાનો માર્ગ અને રંગ બદલી લે છે.
હાસ્યની વાત એ છે કે આ જગતમાં દરેક માનવી લગભગ એકસરખા પ્રસંગોનો અનુભવ કરે છે. એ જ માહોલમાં એકબીજાને જોઈ જીવનમાં આગળ વધે છે, છતાંય ત્યાં સુધી સાચી સમજણ આવતી નથી જ્યાં સુધી માણસ પોતે એ ભાવને અનુભવતો નથી.
આ માનવીના વિચારો જ છે જે તેને ઉડવા માટે પાંખો આપે છે અથવા ક્યારેક થંભી જવા માટે રોકી લે છે.
“વિચારોને જોવો, પણ તેમાં ખોવાઈ ન જવું.”
તમે વિચારોને કેવી રીતે સંભાળો છો? મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.
ohk thanks for feedbk
hey i m not getting this in proper format. the words are not in understandable language…….. plz help
________________________________