જીવનનું કડવું સત્ય એટલે મૃત્યુ.
જયારે કોઈ બીજા ના જીવનમાં બને છે ત્યારે કેટલું સરળ લાગે છે કહેવામાં —“કંઈ નહિ, જે આવ્યું છે એને એક દિવસ જવાનું જ છે.”
પણ થોડુંક થોભીને વિચારું…
શું ખરેખર એટલું સરળ હોય છે?
💔 પોતાનો ગુમાવવાનો દુઃખ
ના, એટલું સરળ નથી હોતું.
અને એ ત્યારે જ સમજાય છે જયારે કોઈ પોતાનું સાથ છોડી ને જાય છે.
સમય જેમ જેમ વીતે છે, તેમ તેમ એ અસહ્ય બનતું જાય છે. જીવી તો શકાય છે, પણ એ વ્યક્તિના હોવા થી જે રંગ જીવનમાં હતો, તે ક્યાંક ફીકો પડી જાય છે.
⏳ જીવનનો વિરામ
મૃત્યુ એ એક અલ્પવિરામ છે, પૂર્ણવિરામ હજી ઘણો સમય દૂર છે. ત્યાં સુધી…
કંઈક જીવી લઈએ, જાણી લઈએ, મળી લઈએ.
અને પછી ફરી એક દિવસ, કોઈ ખૂણે મનના વિચારોમાં એ યાદો લહેરાઈ જાય છે.