જીવનનું કળવું સત્ય

જીવનનું કળવું સત્ય

જીવનનું કડવું સત્ય એટલે મૃત્યુ.
જયારે કોઈ બીજા ના જીવનમાં બને છે ત્યારે કેટલું સરળ લાગે છે કહેવામાં —“કંઈ નહિ, જે આવ્યું છે એને એક દિવસ જવાનું જ છે.”

પણ થોડુંક થોભીને વિચારું…
શું ખરેખર એટલું સરળ હોય છે?


💔 પોતાનો ગુમાવવાનો દુઃખ

ના, એટલું સરળ નથી હોતું.
અને એ ત્યારે જ સમજાય છે જયારે કોઈ પોતાનું સાથ છોડી ને જાય છે.

સમય જેમ જેમ વીતે છે, તેમ તેમ એ અસહ્ય બનતું જાય છે. જીવી તો શકાય છે, પણ એ વ્યક્તિના હોવા થી જે રંગ જીવનમાં હતો, તે ક્યાંક ફીકો પડી જાય છે.


⏳ જીવનનો વિરામ

મૃત્યુ એ એક અલ્પવિરામ છે, પૂર્ણવિરામ હજી ઘણો સમય દૂર છે. ત્યાં સુધી…
કંઈક જીવી લઈએ, જાણી લઈએ, મળી લઈએ.

અને પછી ફરી એક દિવસ, કોઈ ખૂણે મનના વિચારોમાં એ યાદો લહેરાઈ જાય છે.

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

Leave a Reply