🌿 મનના ઝોકા
મિત્રો,
આજે વિરામના પળે ફરી એક વાર વિચારો ઝોકા નાખી રહ્યા છે.
તો ઘડીક તેને માણી લેવા મન વિભોર બની રહ્યું છે.
સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે.
એ સમય અને પાણીના જોરે —
-
ક્યારેક સ્મૃતિઓ મનમાં ઘર કરી જાય છે, જેને લઇને મન હરખાય છે.
-
તો ક્યારેક પવનના હિંડોલે મન દુર સુધી ફેંકાઈ જાય છે.
🌸 મનનું મંદિર
નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે —
“મન એ મંદિર છે.”
જેમાં સવાર-સાંજ જ્ઞાનરૂપ દીવાની જ્યોતથી મનમાં પ્રકાશ ફેલાવવાનું હોય છે.
જેથી મનમાં અયોગ્ય વિચારો ઉદ્ભવતા નથી.
આત્મારૂપ મનને પ્રાર્થનાની ભુખ અને યોગ-ધ્યાનથી આરામ પ્રાપ્ત થાય છે.
સમય ધીમા વહેણની જેમ વહેતો રહે છે.
તેમાં જો આપણે મનમાં આશાના કંકુ પગલાં મૂકી શકીએ,
તો જીવન હંમેશા પ્રકાશિત રહે છે.