સાથી મિત્ર

સાથી મિત્ર

🌿 સાચા સાથીની શોધ

સમય સાથે બંધાયેલા જીવનમાં આજે એ સમજવું મુશ્કેલ છે કે આપણા જીવનમાં આપણા સાચા સાથી મિત્રો કોણ છે. સલાહકારો કહે છે કે —

“પુસ્તકો જીવનના સાથી મિત્રો છે.”

આ વાતમાં તથ્ય રહેલું છે.
પણ એ પણ ચોક્કસ સમય સુધી જ આપણું સાથ આપે છે.


🕊️ જીવનમાં આધાર

માનવીના જીવનમાં દરેક બાબતમાં વ્યક્તિ એકબીજા પર આધારિત રહેવું પડે છે.
જો આધાર ન રાખે તો એને ખુદાર કહેવાય છે.

અને ખુદારી, ખમીરી કેળવવા માટે સમજદારી અને સહનશીલતા હોવી જરૂરી છે.

  • સમજદારી તો સૌ પાસે હોય છે.

  • પરંતુ સહનશીલતા ના શિખરો ઊભા કરવા — એ આજના માનવીની ગજાથી બહારની વાત છે.


📚 પુસ્તકો – નિષ્ઠાવાન સાથી

જેઓ પાસે સહનશીલતા હોય છે,
એ લોકો પુસ્તકોને જ સાચા સાથી મિત્ર બનાવી શકે છે.

અને જો કોઈને એવું લાગે કે —

  • સહનશીલતા નથી,

  • અથવા ઓછી થવા લાગી છે…

તો સમજવું કે હવે તમારા જીવનમાં કોઈ સાથી મિત્રની ઉણપ વર્તાઈ રહી છે.

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

3 Responses »

  1. sacho mitra to apni dhadkan, e hmesha marg batave che, pan man shuddh hoy to marg aapo aap sacho sath ape, parntu ema jo gdbad thay to pan smtama rhine svikarvama nidarta vadhe che, sharne javama foydoj faydo che. nhi to samjvama gadbad thay che

Leave a Reply