માનવીનું જીવન તેના વિચારોની ગૂંથણીથી બંધાયેલું છે. દરેક વિચાર એક સૂત છે, જે મળી ને અસ્તિત્વનું જાળું રચે છે. આ જાળું ક્યારેક એને બંધાવે છે, તો ક્યારેક એને મુક્તિના માર્ગે દોરે છે.
મન એ માનવી માટે એક અદૃશ્ય શક્તિ છે —
એ મનને જ જોતા શીખે તો દરવાજા ખૂલી જાય, અને જો તેમાં જ ખોવાઈ જાય તો કેદખાનું બની જાય.
વિચારોમાંથી જ જીવનનું નાટક સર્જાય છે, પાત્ર પણ એ જ અને દર્શક પણ એ જ.
સાચી મુક્તિ ત્યારે જ મળે છે, જ્યારે માનવી મનને દૂરથી જોવાની કળા શીખે છે.
“મનને જોવાનું કળા જ જીવનને સાચી મુક્તિ આપે છે.”
તમારા માટે મુક્તિનો સાચો અર્થ શું છે? મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.