ઈશ્વરની પસંદગી
માનવી ઈશ્વરની પ્રથમ પસંદગીનું પાત્ર કહીએ તો ચાલે.
મનુષ્ય એ એક એવું પ્રાણી જેને ઈશ્વરે વાચા (speech) આપી.
દરેક પ્રાણીમાં ચેતન રહેલો છે.
પણ જયારે આ ચેતન નવ મહિના ગર્ભમાં ઉછરીને માનવી રૂપે પ્રગટ થાય છે,
ત્યારે એ ચેતન આત્મા સ્વરૂપે માનવીમાં જીવ બનીને વસે છે એમ કહેવાય છે.
🕊️ ચેતન અને મન
જયારે એ ચેતન શરીરની ઇન્દ્રિયો સાથે જોડાય છે,
ત્યારે એ ચેતન (આત્મા, જીવ) મન તરીકે ઓળખાય છે.
અને એ મન જગતની મોહમાયામાં ફસાય ને અનેક કર્મો કરતું રહે છે.
🌱 મનનું પ્રગટ રૂપ
મનુષ્ય શરીર એ એક આકાર છે,
જે માનવીના મનને પ્રગટ કરે છે.