Category Archives: જ્ઞાન

ભગવાનની સુષ્ટિ

ભગવાનની સુષ્ટિ

🌸 એક અનુયાયીની શંકા

ભગવાનની શક્તિ વિશે એક અનુયાયીના મનમાં શંકા હતી.
લોકો કહેતા કે — “ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હાલતું. તો પછી તેની મરજી વગર હું પણ કશું કરી શકું નહીં.”
એમ હોય તો, પછી મારા જીવનનું પ્રયોજન શું?

આ શંકાના નિવારણ માટે તે ગુરુ પાસે ગયો.

🌹 ગુરુનો પાઠ

ગુરુએ તેની વાત સાંભળી કંઇ બોલ્યા નહિ.
તેને આશ્રમના બગીચામાં લઇ ગયા અને એક ગુલાબના છોડ પાસે પહોંચ્યા.

ત્યાંથી એક કળી ચુંટી તેના હાથમાં આપી અને કહ્યું:

“આ કળી ને ખીલીને કુદરતી રીતે ગુલાબ થવામાં હજી વાર છે.
પણ તું તેની પાંદડીઓને ઉઘાડી તેને હમણાં જ ગુલાબમાં ફેરવી દે.
હા, ધ્યાન રાખજે કે તેમ કરતાં એક પણ પાંદડી તૂટવી ન જોઇએ.”

શિષ્યને ગુરુનો આશય સમજાયો નહીં.
પણ તેમની આજ્ઞા માનવી જરૂરી હતી.

તેણે કળી હાથમાં લઇ એક પછી એક પાંદડી ઉઘાડવાનો પ્રયત્ન કર્યો.
ઘણી કોશિશ પછી પણ તે કળી ને પાંદડી તોડ્યા વગર ગુલાબમાં ફેરવી શક્યો નહિ.

તે સમજી ગયો કે આ કાર્ય તેના માટે અશક્ય છે.

🕊️ ગુરુની સમજણ

ગુરુ મંદ સ્મિત સાથે બોલ્યા:

“આ એક નાની રચના છે. તું ઘણો પ્રયત્ન છતાં તેને કળીમાંથી સુંદર ફૂલમાં ફેરવી શક્યો નથી.
તેને તોડ્યા વગર નવું સ્વરૂપ કેમ આપવું — તેની તને જાણ નથી.
પરંતુ પ્રભુ તે કામ આસાનીથી કરી શકે છે.”

“જો એક કળી ને ફૂલ બનાવવાની પ્રક્રિયા તને ખબર નથી,
તો તારી જિંદગીનું રહસ્ય કે પ્રભુ તારી પાસે કયું કાર્ય કરાવવા માગે છે — તે તને કેવી રીતે ખબર પડશે?”

🌼 અંતિમ સંદેશ

👉 માટે ચિંતા છોડ.
જે પળે જેમ આદેશ મળે તેમ તારું કાર્ય કરતો રહેજે.

ત્યારે જ તું પ્રભુની શક્તિ ને અને તારાં જીવનનું તથ્ય શું છે તેને સમજી શકીશ.

જેમ પ્રભુ ગુલાબની કળી ને યોગ્ય સમયે ખીલાવે છે,
તેમ જ તે તારા જીવનને પણ તારાં કર્મ પ્રમાણે માર્ગ અને યોગ્ય પાત્ર આપશે.